22 March 2019

23 માચૅ શહીદ દિવસની વિશેષ માહિતી

  🎑 🇸 🇭 🇦 🇭 🇮 🇩  🇩 🇮 🇳🎑
👉🏽દર વર્ષે ૨૩ માર્ચ : શહીદ દિન...જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ દેશ માટે શહિદ થયા. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્‍ટમાં બોમ્‍બ ફેંકીને જેમને સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચુમીને ગળામાં નાખી શહીદી વ્‍હોરીને ક્રાંતિકારીઓના ઈતિહાસનું ટર્નીંગ પોઈન્‍ટ સાબિત થયા તે ભગતસિંહ,સુખદેવ અને રાજયગુરૂને શત શત વંદન .........
👉🏽ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર,૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ,રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે,સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.
👉🏽સારસ્વત મિત્રો,આપ ભગતસિંહ વિશે જો બાળકોને સમજાવવા માગતા હોય તો ભગતસિંહ વિશે બનેલી નીચે આપેલ હિંદી ફિલ્મ બતાવી શકો. 
Share This
Previous Post
Next Post