03 August 2020

રક્ષાબંધન - વિગત અને Mp3 ગીત

05 July 2020

ગુરૂ પૂર્ણિમા વિશેષ માહિતી


આમ તો ઘણા ધર્મમા લોકોની જુદી-જુદી માન્યતા હોય છે જેમ કે હિન્દુ મંદિર જાય છે, સિખ ગુરૂદ્વારે જાય છે, તો મુસ્લિમ લોકો મસ્જિદ જાય છે અને ક્રિશન લોકો ચર્ચ જાય છે. આ લોકોના તેમના ધર્મના દેવી દેવતાઓને પૂજવાનો જુદા-જુદા તરીકા પણ હોય છે. પણ તોય પણ એક એવી વસ્તુ છે જેને આ બધા એક સાથે માતે અને પૂજે છે "ગુરૂ" ગુરૂ કોઈ પણ હોઈ શકે છે. એક સંત મહાત્મા કે કોઈના ફાદર કે કોઈ એક સાધારણ શાળા કે કૉલેજમાં ભણાવતું કે કોઈ પણ ગુરૂ જ હોય છે.આ કહી શકાય છે. કે શાળા School જ એક પહેલી એવી જગ્યા છે, જ્યાં એક બાળક તેનમા જીવનમાં પહેલી વાર જીવનના પહેલા ગુરૂના સંપર્કમાં આવે છે અને શાળા જ એક એવી જગ્યા છે જ્યાં એક બાળક તેમના જીવનઓ પાઠ ભણે છે.
●ગુરૂ પૂર્ણિમાના દિવસે કામ કરવાથી મળશે વધારે પુણ્ય
પ્રાચીન કાળમાં કોઈ શાળા કે કોલેજ નહી થતા, તે સમયે છાત્રોના ઋષિઓના આશ્રમમાં આવીને વિદ્યા ગ્રહણ કરતા હતા. તે સમયે કોઈ પણ વિદ્યાર્થીના જીવનનો એક પ્રહર ગુરૂ સાથે જ વિતાય છે. તેથી એક વિદ્યાર્થીના જીવનમાં ગુરૂનો એક ખાસ મહ્ત્વ હોય છે. ગુરૂ જ તેને જીવન જીવવાની બધી કળા શીખડાવે છે.
● ગુરૂનુ મહત્વ
ગુરૂ જીવનના અંધકારને દૂર કરે છે.
ગુરૂ જ આપણા જીવની અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો દીપક પ્રગટાવે છે.
તેથી ગુરૂપૂર્ણિમાને ગુરૂની વંદના કરવી જોઈએ.
કોઈ પણ માણસનો જીવન ગુરૂ વગર અધૂરો છે.
ગુરૂ કોઈ પણ હોઈ શકે છે અમારા માતા-પિતા, પુત્ર-પુત્રી, દોસ્ત કે કોઈ સામાન્ય માણસ પણ..
●ગુરૂ અને વ્યાસ પૂર્ણિમા કથા
અમારા બધાના જીવનમાં ગુરૂનો બહુ વધારે મહત્વ છે. ગુરૂ જ અમારી અંદર અજ્ઞાનતાનો અંધકાર મટાવી અમારી અંદર જ્ઞાન પ્રકાશ ભરે છે. એવી માન્યતા છે કે આ રીતે કોઈ એક આષાઢ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયું હતું. તે તેના જ નામ પર તેને વ્યાસ પૂર્ણિમા Vyas poornima પણ કહેવાય છે. તેને જ બધી માનવ જાતિને પહેલી વાર વેદ જ્ઞાન આપ્યું હતું. પહેલીવાર વેદ દર્શન માનવ જાતિના મધ્ય લાવવાના કારણેથી તેને પ્રથમ ગુરૂનો દર્જા આપ્યું હતું. ત્યારથી તે દિવસે તેનો જન્મ દિવસના રૂપમાં ગુરૂપૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે.

આ તહેવારનો મહ્ત્વ દરેક સમયે આ રીતે જ બન્યું રહેશે કારણકે અમારા જીવનમાં કોઈ પણ રીતે અમારા ગુરૂઓની ભૂમિકા બની રહેશે.

આ દિવસે માતા-પિતા અને ઘરના બધા વડીલ સભ્યોના પગે લાગવા જોઈએ.

આપ બધાને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા ..

21 June 2020

આજે વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન વિશેની સંપુર્ણ માહિતી

આજે વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન
 ■21 જૂન આખી દુનિયા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જેની શરૂઆત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂન 2015થી કરી હતી. યોગમાં પ્રાણાયમનો ખૂબ મહત્વ છે. તે યોગના આઠ અંગમાંથી ચોથો અંગ પણ ગણાય છે. તે ખૂબજ સરળ અને ફાયદાકારી છે. જે કોઈ પણ ઉમર, લિંગ અને વર્ગના માણસ સરળતાથી કરી શકે છે. પ્રાણાયામ કરતા કે શ્વાસ લેતાં સમયે અમે ત્રણ
ક્રિયાઓ કરે છે- પૂરક, રેચક, કુંભક એટલે કે શ્વાસ લેવું, રોકવું અને છોડવું. આવો તમને જણાવીએ છે. પ્રાણાયામના પ્રકાર અને ફાયદા. પ્રાણને સંયર કરવાની પ્રાણાયામ યોગમાં પ્રાણાયામના ઘણા પ્રકાર છે.
■International Yoga Day- ઈન્ટરનેશનલ યોગા ડે 21 મી જૂને ઉજવવામાં આવે છે. પ્રથમ વખત એ 21 જૂન, 2015 ના રોજ ઉજવવામાં આવ્યું હતું. જેની શરૂઆત 27 મી ડિસેમ્બર, 2014 ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ખાતેના પોતાના ભાષણમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી હતી. 11 ડિસેમ્બર 2014 ના રોજ યુએનમાં 177 સભ્યો દ્વારા 21 જૂને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ઉજવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. મોદીની દરખાસ્તને , 90 દિવસની અંદર સંપૂર્ણ બહુમતિ દ્વારા પસાર કરવામાં આવ્યું જે યુનાઇટેડ નેશન્સમાં કોઈ દિવસ પ્રસ્તાવ માટે સૌથી ઓછું સમય છે
21 જૂન શા માટે?
21 મી જૂનના રોજ યોજાયેલી ઇન્ટરનેશનલ યોગા ડેનું કારણ એ છે કે આ દિવસ ગ્રીષ્મ સંક્રાતિ હોય છે. આ દિવસે, સૂર્ય ધરતીનીથી ઉત્તરથી દક્ષિણ તરફ જવાનું શરૂ કરે છે. એટલે કે, સૂર્ય જે ઉત્તર ગોળાર્ધની સામે હતું, ત્યારથી દક્ષિણ ગોળાર્ધમાં વૃદ્ધિ થવાનું શરૂ થઈ જાય છે. યોગાના પરિપ્રેક્ષ્યમાં, આ સમય સંક્રમણ સમય છે, એટલે કે પરિવર્તન માટે વધુ સારું સમય. ગ્રીષ્મ સંક્રાતિનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે.
બે ગિનિસ રેકોર્ડ્સ બનાવવામાં આવ્યા હતા
  1. 21 જૂન, 2015 ના રોજ નવી દિલ્હીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ માટે 35 મિનિટ 21 યોગ મુદ્રાઓ માં 36,000 લોકો, નરેન્દ્ર મોદી અને મહાનુભાવોની સહિત ભારતના વડાપ્રધાન યોગાસનનો પ્રદર્શન કર્યું હતું.
  2. રાજપથ ખાતે થયેલ આ સમારંભને બે ગિનીજે રેકાર્ડસ બનાવ્યા જેમાં સૌથી મોટી યોગ ક્લાસ એટલે કે 35,985 લોકોની સાથે અને ચોરાસી દેશના લોકો દ્વારા આ આયોજનમાં એક સાથે 35 ભાગ લેવાનો રેકોર્ડ બનાવ્યું. આ રેકાર્ડને આયુષ મંત્રી શ્રીપદ નાયક પોતે ગ્રહણ કર્યું હતું.

ફાધસૅ ડે વિશેની સંપુર્ણ માહિતી

કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ? તમારી મમ્મી તમને રોજ જમાડવાં માટે પાછળ દોડતી હોય અને તમે એક જ મિનિટમાં કહી દો છો કે મને નથી ભાવતું, બિચારી મમ્મી ફરી તમને તમારી ભાવતી વસ્તુ બનાવી આપશે. પણ કદી એ વિચાર કરો છો કે જો મમ્મી એકાદ મહિના માટે કશે જતી રહે તો?
  શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે.
        દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.
        તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી જૂન મહિનાના ત્રીજા રવિવારે કરવામાં આવે છે . આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 16મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.
        પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?
તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છે.
      જે પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો અમે તમને થોડી મદદ કરીએ.
  •       એક સરસ મજાનું કાર્ડ આપો. આમ તો બજારમાં ઘણાં તૈયાર કાર્ડ મળે છે પણ તમે તમારા હાથથી બનાવીને જે કાર્ડ આપશો તે જોઈને તેમને વધુ આનંદ મળશે.
  •        તે દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.
  •        તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.
  •         અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.
આજના આ બદલતા જમાનામાં બાળકોને વધુ સારુ શિક્ષણ આપવા માટે પિતા વધુને વધુ મહેનત કરે છે. જે બાળકોના ભવિષ્ય તેઓ માટે આખો દિવસ બહાર રહે છે એ બાળકો સાથે સમય વિતાવવાનો તેમની પાસે આજે સમય નથી. તો આજે અપણે આપણા પિતાજી સાથે આજે પૂર્ણ દિવસ વિતાવી અને તેમનુ આપણી જીંદગીમાં કેટલુ મહત્વ છે તે સમજીએ.
F.A.T.H.E.R.S.

"
F" aithful.
"
A" lways there.
"
T" rustworthy.
"
H" onoring.
"
E" ver-loving.
"
R" ighteous.
"
S" upportive.

05 June 2020

વિશ્વ પર્યાવરણ દિન વિશેષ | Environment Day info in Gujarati | 5 June


જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઉજવાય છે.૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં ઊજવાતાં ""પર્યાવરણ દિન''નું આ વર્ષનું સુત્ર છે "હરિત અર્થતંત્ર' સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણ સામેના ખતરાઓમાં ધટાડો થાય.ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે 
Environment MCQ Quiz 
કમ્પ્યૂટર અને લેપટોપ પર આ ક્વિઝ ગેમ રમી શકશો. 
ક્વિઝની વિશેષતા : 
દરેક વખતે પ્રશ્ન અને જવાબનો ક્રમ બદલાશે. 
અંતે પરિણામ -સ્કોર /લીધેલ સમય 
નિદાનની સાથે જ ઉપચારાત્મક કાર્ય 
ઓફલાઈન ઉપયોગ કરી શકો. 
ગુજરાતીમાં પ્રશ્નો 
સાઈઝ માત્ર 5 Mb 
(ઇકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત આ ક્વિઝ રાખી શકો)

14 April 2020

આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ | 14 April



👉🏽૧૪ એપ્રિલ - સંવિધાન શિલ્પી ડૉ.બાબાસાહેબ આંબેડકરની આ ૧૨૭ મી જન્મજયંતિ....
👉🏽ડૉ.બાબાસાહેબ દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદૃષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.

08 March 2020

8 March : વિશ્વ મહિલા દિવસ : Women's Day Video + Detail

📝🇼 🇴 🇲 🇪 🇳 🇸  🇩 🇦 🇾📝
--》સયુંક્ત રાષ્ટ્રસંઘ (યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં આવે છે.દિન વિશેષ માહિતી સાથે સ્ત્રીશક્તિના ઉદાહરણ રૂપ પ્રસિદ્ધ ૨૦ મહિલાઓની સિદ્ધિઓની ગુજરાતીમાં માહિતી સ્પીચ સાથેનો આ સૌપ્રથમ વીડિયો- જે અન્ય દીકરીઓ/મહિલાઓ માટે પ્રેરણારૂપ બનશે.વિશ્વ મહિલા દિવસ ઉજવણીમાં દિન વિશેષ માહિતી માટે આપની શાળામાં દર્શાવી શકો.અન્ય ગૃપમાં શેર કરો - 

26 February 2020

28 February - “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”

🗂🇸 🇨 🇮 🇪 🇳 🇨 🇪 🇩 🇦 🇾🗂
👉 આવતીકાલે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી માટે વિશેષ માહિતી
👉ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાન જગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રખમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે.૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું,જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.

19 February 2020

📝 *21 મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ* 📝

*_21મી ફેબ્રુઆરી અટલે કે માતૃભાષા દિવસ. આવો આપણે પણ આજના દિવસે માતૃભાષાનું મહત્વ સમજીએ અને તેનું ગૌરવ લઈએ.
  • માતૃભાષા દિન અહેવાલ📥DOWNLOAD
  • માતૃભાષાનું મહત્વ કેટલું📥DOWNLOAD
  • માતૃભાષા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ📥DOWNLOAD
  • શિક્ષણ અને માતૃભાષા વિશે – વિનોબા ભાવેના વિચારો📥DOWNLOAD
  • ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ  – ડૉ. આઈ. કે. વીજળીવાળા📥DOWNLOAD
  • વિશ્વ માતૃભાષા દિવસ📥DOWNLOAD
  • માતૃભાષાનું મહત્વ દર્શાવતા સુવિચારો⤵️
  • ભાગ-1📥DOWNLOAD
  • ભાગ-2📥DOWNLOAD
  • ભાગ-3📥DOWNLOAD
  • કવિ અને લેખકોના ચિત્રો📥DOWNLOAD
  • ગુજરાતી ભાષાનાં અણમોલ રત્નો📥DOWNLOAD
  • માતૃભાષાના દિન નિમિત્તે સુંદર કક્કો📥DOWNLOAD
  • શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ વાંચવા લાયક લેખ ગુણવંતભાઈ શાહ📥DOWNLOAD


25 December 2019

નાતાલ દિન વિશેષ-25 December Christmas day in Gujarati

👉🏽 આ પવિત્ર પર્વને ગુજરાતમાં નાતાલ કહેવામાં આવે છે.અંગ્રેજીમાં ક્રિસમસ અને હિન્દીમાં બડા દિન તરીકે મનાવવામાં આવે છે .2000 વર્ષ પહેલાંના બેથલેહેમ શહેરના દાઉદ નગરનાં નાઝરેથ ગામમાં બાળ ઇસુનો જન્મ સાધારણ ગભાણમાં થયો હતો.આ દિવસે કડકડતી ઠંડી હતી.માતા મરિયમ અને પિતા યુસુફ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પ્રસુતિ માટે નગરમાં ભટકતા હતા.પરંતુ તેઓની નજરમાં ક્યાંક જગ્યા ન મળી અને તેમાં તેઓએ ગમાણમાં આશરો લીધો.અને ત્યાં બાળ ઇસુનો જન્મ થયો.

05 September 2019

શિક્ષક દિન | ડો.રાધાકૃષ્ણન જીવન પરિચય | Teacher's Day

5 સપ્ટેમ્બર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. તે શિક્ષાના પ્રત્યે ખૂબ સમર્પિત હતા અને એક અધ્યેતા રાજનયિક ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરીને એક શિક્ષકના રૂપમાં ઓળખાય છે. ડા સર્વપલ્લી રાધાકૃષ્ણનન રાષ્ટ્રપતિ પહેલા ચેન્નઈની પ્રેસીડેંડ કૉલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક હતા.શિક્ષક દિવસના દિવસે શાળાઓમાં ઘણી જગ્યા બાળકો શિક્ષક બનીને ભણાવે છે અને શિક્ષકોને માનમાં જુદા- જુદા કાર્યક્રમ યોજાય છે. શિક્ષક એક એવી કડી છે જે એક નાનકડા બાળકને સમાજમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધવું, વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.

04 September 2019

ગણેશચતુર્થી : મહિમા અને ભક્તિગીત | Ganeshji Special Mp3

ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં પણ ગણેશ સ્થાપના કરે છે. તેમની સ્થાપના વિધિ વિધાન સાથે કર્યા બાદ 10 દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિ ખરીદતી વખતે ભગવાનની સુંઢ ડાબી તરફ વળેલી હોય તે ખાસ ધ્યાનમાં રાખવું. આવી મૂર્તિ સ્થાપના માટે શુભ ગણાય છે. 
Mp3 ભક્તિગીત 

23 August 2019

જન્માષ્ટમી વિશેષ માહિતી + Mp3 ભક્તિ ગીત | Janmashtami Festival Info.

જન્માષ્ટમી વિશેષ માહિતી + Mp3 ભક્તિ ગીત | Janmashtami Festival Info.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે.આ પરમ પવિત્ર દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે,
Mp3 ભક્તિ ગીત Download

19 April 2019

આજે હનુમાન જયંતિ વિશેષ PDF+Mp3 | Hanuman Jayanti

👉🏽આજે હનુમાન જયંતિ : હિન્દુ ધર્મમાં શ્રી હનુમાનજી અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત જ નહીં પરંતુ તેઓ ભક્તિના આદર્શ પણ છે. એટલે શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાનજી ગુરુ માનવામાં આવ્યા છે.આ ચાર સૂત્રો છે. કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ. આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાનજી અદભૂત અને ચમત્કારિક દેવતા ગણવામાં આવ્યા છે.
PDF માં માહિતી ડાઉનલોડ
Mp3 Collection ડાઉનલોડ 

17 April 2019

Mahavir Jayanti Special Information in Gujarati | મહાવીર જયંતી વિશેષ

Mahavir Jayanti Special Information in Gujarati | મહાવીર જયંતી વિશેષ
👉🏽મહાવીર જયંતી એ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે.જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાને કારણે આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે.વિશેષ માહિતી નીચે ગુજરાતીમાં આપેલી છે.ક્લીક કરો અને ડાઉનલોડ કરો .

14 April 2019

રામનવમી વિશેષ માહિતી | Ramnavmi special PDF+MP3

રામનવમી વિશેષ માહિતી | Ramnavmi special PDF+MP3

13 April 2019

આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ | 14 April

👉🏽૧૪ એપ્રિલ - સંવિધાન શિલ્પી ડૉ.બાબાસાહેબ આંબેડકરની આ ૧૨૭ મી જન્મજયંતિ....
👉🏽ડૉ.બાબાસાહેબ દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદૃષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.

09 April 2019

છત્રપતિ શિવાજીની જન્મજયંતિ | 10 April | Shivaji Maharaj

છત્રપતિ શિવાજીની જન્મજયંતિ | 10 April | Shivaji Maharaj
👉🏽છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.એમની જન્મતારીખમાં ઘણા વિવાદ છે.

05 April 2019

વિશ્વ આરોગ્ય દિવસ|world Helth Day|7 એપ્રિલ

🗂🇼 🇴 🇷 🇱 🇩  🇭 🇪 🇦 🇱 🇹 🇭  🇩 🇦 🇾🗂
👉🏽વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ આરોગ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે.આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.